Monday, 31 March 2025

મારામાં જ ગૂંથાયેલું આખું જગત


मत्त: परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय |
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ||
भा.गी. 7.7

હે ધનંજય ! મારા સિવાય આ જગતનું બીજું
કોઈ કિંચિત્માત્ર પણ કારણ તથા કાર્ય નથી.
જેમ સુતરના મણકા સુતરના ધાગામાં પરોવાયેલા
હોય છે, એ જ રીતે આ આખું જગત મારામાં જ
ગૂંથાયેલું છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 29 March 2025

આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય


एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय |
अहं कृत्स्नस्य जगत: प्रभव: प्रलयस्तथा ||
भा.गी. 7.6

સઘળા પ્રાણીઓના ઉત્પન્ન થવામાં પરા અને
અપરા આ બન્ને પ્રકૃતિઓનો સંયોગ જ કારણ
છે એવું તું સમજ. હું આખાય જગતનો પ્રભવ
તેમજ પ્રલય છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 28 March 2025

અપરા પ્રકૃતિ- પરા પ્રકૃતિ


भूमिरापोऽनलो वायु: खं मनो बुद्धिरेव च | अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ||
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् | जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ||
भा.गी. 7.4-5

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ પંચમહાભૂત અને મન, બુદ્ધિ
તથા અહંકાર - આ પ્રમાણે આ આઠ પ્રકારના ભેદવાળી મારી આ
અપરા પ્રકૃતિ છે. અને હે મહાબાહો ! આ અપરા પ્રકૃતિથી ભિન્ન
જીવરૂપે બનેલી મારી પરા પ્રકૃતિને જાણ જેના દ્વારા આ જગત
ધારણ કરવામાં આવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 27 March 2025

હજારો માણસોમાંથી કોઈ એક


मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये |
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत: ||
भा.गी. 7.3

હજારો માણસોમાંથી કોઈ એક સિદ્ધિ એટલે કે
કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર
સિદ્ધો કોઈ એક જ મને તત્ત્વથી એટલે કે યથાર્થરૂપે
જાણે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 26 March 2025

વિજ્ઞાનસહિત જ્ઞાન


ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषत: |
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ||
भा.गी. 7.2

હું તારે માટે આ વિજ્ઞાનસહિત જ્ઞાન સંપૂર્ણપણે
કહીશ, જેને જાણીને આ વિષયમાં ફરી બીજું કશું
પણ જાણવાલાયક શેષ રહેશે નહીં.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 25 March 2025

સમગ્રરૂપને નિઃસંદેહ જાણ


श्रीभगवानुवाच |
मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय: |
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ||
भा.गी. 7.1

શ્રીભગવાન બોલ્યા- હે પૃથાનંદન ! મારામાં આસક્ત
મનવાળો, મારે આશ્રિત થઈને યોગમાં જોડાયેલો તું જે
રીતે મારા જે સમગ્રરૂપને નિઃસંદેહ જાણીશ, તેને તે જ
પ્રકારે સાંભળ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 24 March 2025

મારા મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ યોગી


योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना |
श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मत: ||
भा.गी. 6.47

સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન ભક્ત મારામાં
જોડાયેલા મનથી મને નિરંતર ભજે છે, એ યોગી મારા
મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 22 March 2025

તું યોગી થઇ જા


तपस्विभ्योऽधिकोयोगी ज्ञानिभ्योऽपिमतोऽधिक:|
कर्मिभ्यश्चाधिकोयोगी तस्माद्योगीभवार्जुन||
भा.गी. 6.46

સકામ ભાવવાળા તપસ્વીઓ કરતાં પણ યોગી
શ્રેષ્ઠ છે, જ્ઞાનીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે અને
કર્મ કરનારાઓથી પણ યોગી શ્રેષ્ઠ છે - એવો
મારો મત છે. તેથી હે અર્જુન ! તું યોગી થઇ જા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 21 March 2025

પરમ ગતિને પ્રાપ્ત થઇ જાય છે


प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिष: |
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ||
भा.गी. 6.45

પરંતુ જે યોગી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે અને
જેના પાપો નષ્ટ થઇ ગયા છે તથા પાછલા અનેક
જન્મોથી સિદ્ધ થયો છે, તે યોગી પછી પરમ ગતિને
પ્રાપ્ત થઇ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 20 March 2025

પૂર્વજન્મના અભ્યાસના બળે


पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि स: |
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ||
भा.गी. 6.44

તે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ મનુષ્ય
ભોગોને પરવશ હોઈને પણ તે પૂર્વજન્મના
અભ્યાસના બળે જ ભગવાન તરફ આકર્ષાય છે;
કેમકે યોગ એટલે કે સમતાનો જિજ્ઞાસુ પણ
વેદમાં કહેલાં સકામ કર્મોને ઓળંગી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 19 March 2025

સાધન-સંપત્તિ અનાયાસે જ પ્રાપ્ત થઇ જાય


तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् |
यतते च ततो भूय: संसिद्धौ कुरुनन्दन ||
भा.गी. 6.43

હે કુરુનંદન ! ત્યાં તેને પહેલાના મનુષ્ય જન્મની
સાધન-સંપત્તિ અનાયાસે જ પ્રાપ્ત થઇ જાય છે.
પછી તેનાથી તે પહેલાં કરતાં પણ વધુ સાધન
સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 18 March 2025

ઘણો જ દુર્લભ જન્મ


प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वती: समा: | शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ||
अथवा योगिनामेव कुले भवति धीमताम् | एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ||
भा.गी. 6.41-42

તે યોગભ્રષ્ટ પુણ્યશાળીઓના લોકને પામીને ત્યાં ઘણાં વર્ષો સુધી નિવાસ કરીને પછી
શુદ્ધ શ્રીમાન લોકોના ઘરે જન્મ લે છે.
અથવા જે જ્ઞાનવાન યોગીઓનાં કુળમાં જ જન્મ લે છે. આ પ્રકારનો જે આ જન્મ છે,
એ સંસારમાં ખરેખર ઘણો જ દુર્લભ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 17 March 2025

કલ્યાણકારી કામ કરનાર દુર્ગતિને પામતો નથી


श्रीभगवानुवाच |
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते |
न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति ||
भा.गी. 6.40

શ્રીભગવાન બોલ્યા-
હે પૃથાનંદન ! એ માણસનો ન તો આ લોકમાં અને
ન પરલોકમાં પણ વિનાશ થાય છે; કેમ કે હે વહાલા !
કલ્યાણકારી કામ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 15 March 2025

સંશયને સર્વથા છેદવા માટે


एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषत: |
त्वदन्य: संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ||
भा.गी. 6.39

હે શ્રીકૃષ્ણ ! મારા આ સંશયને સર્વથા છેદવા માટે
આપ જ લાયક છો; કેમ કે આપના સિવાય બીજો
આ સંશયનું છેદન કરનાર કોઈ હોઈ શકે નહીં.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 13 March 2025

બન્ને બાજુથી ભ્રષ્ટ સાધક


कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति |
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मण: पथि ||
भा.गी. 6.38

હે મહાબાહો ! સંસારના આશ્રય વિનાનો અને
ભગવત્પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો એમ આ
બન્ને બાજુથી ભ્રષ્ટ થયેલો સાધક શું છિન્નભિન્ન
થયેલા વાદળની પેઠે નાશ તો નથી પામતો ને ?

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 12 March 2025

શિથિલ પ્રયત્ન


अर्जुन उवाच |
अयति: श्रद्धयोपेतो योगाच्चलितमानस: |
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ||
भा.गी. 6.37

અર્જુન બોલ્યા-
હે શ્રીકૃષ્ણ ! જેની સાધનમાં શ્રદ્ધા છે, પરંતુ જેનો
પ્રયત્ન શિથિલ છે તે અંત સમયમાં જો યોગથી વિચલિત
થઇ જાય તો તે યોગની સિદ્ધિને ન પામતાં કઈ ગતિને પામે છે ?

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 11 March 2025

ઉપાયપૂર્વક યોગ પ્રાપ્ત થઈ શકે છે


असंयतात्मना योगो दुष्प्राप इति मे मति: |
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत: ||
भा.गी. 6.36

જેનું મન સર્વથા વશમાં નથી એવા માણસ દ્વારા
યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે પરંતુ
ઉપાયપૂર્વક પ્રયત્નશીલ માણસ દ્વારા તથા જેણે
મનને વશ કર્યું છે એવા સાધકને યોગ પ્રાપ્ત થઈ
શકે છે, આવો મારો મત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 10 March 2025

અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય


श्रीभगवानुवाच |
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् |
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ||
भा.गी. 6.35

શ્રીભગવાન બોલ્યા:-
હે મહાબાહો ! આ મન ઘણું ચંચળ છે તેમજ
મુશ્કેલીથી વશ થનારું છે, આ તારું કહેવું બિલકુલ
બરાબર છે. છતાં પણ હે કુંતીપુત્ર ! એ અભ્યાસ અને
વૈરાગ્ય વડે વશમાં થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 8 March 2025

ચંચળ, પ્રમથન સ્વભાવનું, જિદ્દી અને બળવાન


चञ्चलं हि मन: कृष्ण प्रमाथि बलवद्दृढम् |
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ||
भा.गी. 6.34

કેમ કે હે શ્રીકૃષ્ણ ! મન ઘણું જ ચંચળ, પ્રમથન
સ્વભાવનું (સ્થિતિથી વિચલિત કરવા વાળું), જિદ્દી
અને બળવાન છે. એને વશમાં કરવાનું હું આકાશમાં
રહેલા વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 7 March 2025

ચંચળ મન હોવાને લીધે


अर्जुन उवाच |
योऽयं योगस्त्वया प्रोक्त: साम्येन मधुसूदन |
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ||
भा.गी. 6.33

અર્જુન બોલ્યા-
હે મધુસૂદન ! આપે સમભાવે જે આ યોગ કહ્યો
છે, મન ચંચળ હોવાને લીધે હું આ યોગની નિત્ય
સ્થિતિને નથી જોતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 6 March 2025

પરમ શ્રેષ્ઠ યોગી


आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन |
सुखं वा यदि वा दु:खं स योगी परमो मत: ||
भा.गी. 6.32

હે અર્જુન! જે ભક્ત પોતાના શરીરની ઉપમાથી બધી
જગ્યાએ મને સમાન જુએ છે અને સુખ અથવા દુઃખનેય
બધામાં સમ જુએ છે, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 5 March 2025

નિત્ય નિરંતર મારામાં જ સ્થિત


सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थित: |
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ||
भा.गी. 6.31

મારામાં એકાત્મભાવથી સ્થિત થઈને જે ભક્તિયોગી
સર્વ ભૂતોમાં રહેલા મારું ભજન કરે છે, તે સર્વ રીતે
વર્તતો હોવા છતાં પણ મારામાં જ વર્તાવ કરી રહ્યો
છે અર્થાત્ તે નિત્ય નિરંતર મારામાં જ સ્થિત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 4 March 2025

ભક્તને માટે હું અદ્રશ્ય નથી


यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति |
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ||
भा.गी. 6.30

જે ભક્ત સઘળાં ભૂતોમાં મને જુએ છે અને મારામાં
સઘળાં ભૂતોને જુએ છે, એને માટે હું અદ્રશ્ય નથી
થતો અને તે ભક્ત મારે માટે અદ્રશ્ય નથી થતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 3 March 2025

સર્વભૂતોને પોતાના સ્વરૂપમાં જુએ


सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि |
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शन: ||
भा.गी. 6.29

બધી જગ્યાએ પોતાના સ્વરૂપને જોનારો અને
ધ્યાનયોગથી યુક્ત અંતઃકરણવાળો સાંખ્યયોગી
પોતાના સ્વરૂપને સર્વભૂતોમાં સ્થિત જુએ છે.અને
સર્વભૂતોને પોતાના સ્વરૂપમાં જુએ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 1 March 2025

અનંત સુખનો અનુભવ


युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मष: |
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ||
भा.गी. 6.28

આ પ્રમાણે પોતે-પોતાને નિરંતર પરમાત્મામાં
જોડતો રહીને નિષ્પાપ યોગી સુખપૂર્વક બ્રહ્મ
પ્રાપ્તિરૂપ અનંત સુખનો અનુભવ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//