Friday, 31 January 2025

"સંન્યાસ" ને જ તું યોગ જાણ


यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव |
न ह्यसंन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ||
भा.गी. 5.2

હે અર્જુન ! લોકો જેને "સંન્યાસ" એવું કહે છે,
એને જ તું યોગ જાણ; કેમકે સંકલ્પોનો ત્યાગ
ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી થઈ
શકતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 30 January 2025

સંન્યાસી તથા યોગી


श्रीभगवानुवाच |
अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य: |
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रिय: ||
भा.गी. 6.1

શ્રીભગવાન બોલ્યા-કર્મફળનો આશ્રય લીધા વિના
જે માણસ કર્તવ્ય કર્મ કરે છે, તે જ સંન્યાસી તથા
યોગી છે અને કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી
નથી હોતો. અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી
નથી હોતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 29 January 2025

ભક્ત શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે


भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् |
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ||
भा.गी. 5.29

મને સર્વ યજ્ઞો અને તપોનો ભોક્તા સકળ
લોકોના ઈશ્વરનોય ઈશ્વર તેમજ સઘળાં પ્રાણીઓનો
સુહૃદ્ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમી જાણીને
(ભક્ત) શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 27 January 2025

કેવળ મોક્ષપરાયણ તથા ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો


स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवो: |
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ||
यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण: |
विगतेच्छाभयक्रोधो य: सदा मुक्त एव स: ||
भा.गी. 5.27-28

બહારના પદાર્થોને બહાર જ ત્યજીને અને આંખોની
દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકમાં
વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે
ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીતી લીધા છે, એવો જે
કેવળ મોક્ષપરાયણ છે તથા જે ઈચ્છા, ભય અને ક્રોધ
વિનાનો થઈ ગયો છે, તે મુનિ સદા મુક્ત જ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 25 January 2025

શરીર હોય ત્યારે કે મૃત્યુ પછી પણ


कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् |
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ||
भा.गी. 5.26

કામ-ક્રોધથી સર્વથા રહિત, જીતેલા મનવાળા
અને સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચુકેલા સાંખ્યયોગીઓ
માટે શરીર હોય ત્યારે કે મૃત્યુ પછી પણ એટલે કે ચારે
કોર નિર્વાણ બ્રહ્મ પરિપૂર્ણ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 24 January 2025

જેમનું શરીર, મન, ઇન્દ્રિયો સહીત વશમાં છે


लभन्ते ब्रह्मनिर्वाणमृषय: क्षीणकल्मषा: |
छिन्नद्वैधा यतात्मान: सर्वभूतहिते रता: ||
भा.गी. 5.25

જેમનું શરીર, મન, ઇન્દ્રિયો સહીત વશમાં છે,
જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે જેમના
સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચુક્યા છે,
જેમનાં સઘળાં પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે, તે વિવેકી
સાધકો શાન્ત બ્રહ્મને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 23 January 2025

માત્ર પરમાત્મામાં સુખવાળો


योऽन्त:सुखोऽन्तरारामस्तथान्तज्र्योतिरेव य: ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ।।
भा.गी. 5.24

જે માણસ માત્ર પરમાત્મામાં સુખવાળો અને કેવળ
પરમાત્મામાં રમણ કરવાવાળો છે અને જે કેવળ
પરમાત્મામાં જ્ઞાનવાળો છે, તે બ્રહ્મમાં પોતાની
સ્થિતિનો અનુભવ કરવાવાળો (બ્રહ્મરૂપ બનેલો)
સાંખ્યયોગી નિર્વાણ બ્રહ્મને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 22 January 2025

દેહનો નાશ થયા પહેલાં જ


शक्नोतीहैव य: सोढुं प्राक्शरीरविमोक्षणात् |
कामक्रोधोद्भवं वेगं स युक्त: स सुखी नर: ||
भा.गी. 5.23

જે સાધક આ મનુષ્યશરીરમાં, દેહનો નાશ થયા
પહેલાં જ કામ-ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા
સમર્થ બની જાય છે, તે જ માણસ યોગી છે અને
તે જ સુખી છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 21 January 2025

વિવેકશીલ મનુષ્ય ભોગ-સુખ માં રમણ કરતો નથી


ये हि संस्पर्शजा भोगा दु:खयोनय एव ते |
आद्यन्तवन्त: कौन्तेय न तेषु रमते बुध: ||
भा.गी. 5.22

કેમ કે જે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી
ઉત્પન્ન થતા ભોગ-સુખ છે, તે આદિ-અંતવાળા
અને દુઃખના જ હેતુ છે. તેથી હે કુંતીનંદન !
વિવેકશીલ મનુષ્ય તેમાં રમણ કરતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 20 January 2025

અક્ષય સુખનો અનુભવ કરે છે


बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् |
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ||
भा.गी. 5.21

બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો
સાધક અંતઃકરણમાં જે સાત્ત્વિક સુખ છે તેને પામે છે.
એ પછી તે સચ્ચિદાનંદઘન બ્રહ્મમાં અભિન્નભાવે સ્થિત
માણસ અક્ષય સુખનો અનુભવ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 18 January 2025

પ્રિયને પામીને હરખાય નહીં


न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् |
स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थित: ||
भा.गी. 5.20

જે પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને
પામીને ઉદ્વિગ્ન ન થાય, તે સ્થિરબુદ્ધિનો, મૂઢતારહિત
એટલે કે જ્ઞાની તથા બ્રહ્મવેત્તા મનુષ્ય બ્રહ્મમાં સ્થિત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 17 January 2025

બ્રહ્મ નિર્દોષ અને સમ છે


इहैव तैर्जित: सर्गो येषां साम्ये स्थितं मन: |
निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिता: ||
भा.गी. 5.19

જેમનું અંતઃકરણ સમભાવમાં સ્થિત છે, તેમણે આ
જીવંત અવસ્થામાં જ સકળ સંસારને જીતી લીધો છે
અર્થાત્ તે જીવનમુક્ત થઈ ગયા છે; કેમ કે બ્રહ્મ નિર્દોષ
અને સમ છે, માટે તેઓ બ્રહ્મમાં જ સ્થિત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 16 January 2025

પરમાત્માને સમાનરૂપે જોવાવાળા


विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि |
शुनि चैव श्वपाके च पण्डिता: समदर्शिन: ||
भा.गी. 5.18

જ્ઞાની મહાપુરુષો વિદ્યા અને વિનયશીલ
બ્રાહ્મણમાં તથા ગાય, હાથી અને કૂતરામાં
અને ચાંડાળમાં પણ સમાનરૂપે પરમાત્માને
જોવાવાળા હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 15 January 2025

જ્ઞાન દ્વારા પાપરહિત


तद्बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणा: |
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषा: ||
भा.गी. 5.17

પરમાત્મામાં જેમનું મન તદ્રૂપ થઈ રહ્યું છે,
પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રૂપ થઈ રહી છે
અને સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જ જેમની
સ્થિતિ છે, એવા પરમાત્મપરાયણ સાધકો જ્ઞાન
દ્વારા પાપરહિત થઇને અપુનરાવૃત્તિને એટલે કે
પરમગતિને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 13 January 2025

જ્ઞાન વડે તે અજ્ઞાન નષ્ટ કરી નાંખ્યું છે


ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मन: |
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ||
भा.गी. 5.16

પરંતુ જેમણે પોતાના જે જ્ઞાન વડે તે અજ્ઞાન
નષ્ટ કરી નાંખ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની
જેમ એ સચ્ચિદાનંદઘન પરમાત્માને પ્રકાશિત
કરી દે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 11 January 2025

અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે


नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु: |
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तव: ||
भा.गी. 5.15

સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપકર્મને
અને ન કોઈના શુભકર્મને પણ ગ્રહણ કરે છે
પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી
જ બધાં અજ્ઞાની માણસો મોહ પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 10 January 2025

સ્વભાવ જ બધુ સર્જન કરે છે


न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभु: |
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ||
भा.गी. 5.14

પરમેશ્વર માણસોના ન કર્તાપણાને, ન કર્મોને
કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે; પણ સ્વભાવ
જ બધુ સર્જન કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 9 January 2025

આનંદપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિત


सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी |
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ||
भा.गी. 5.13

જેની ઇન્દ્રિયો અને મન વશમાં છે, એવો દેહધારી
પુરુષ નવ દ્વારોના શરીરરૂપી પુરમાં સઘળાંય કર્મોને
વિવેકપૂર્વક અને મનથી ત્યજીને નિઃસંદેહ ન કરતો રહીને
અને ન કરાવતો રહીને આનંદપૂર્વક પોતાના સ્વરૂપમાં
સ્થિત રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 8 January 2025

કર્મોના ફળને ત્યજીને નૈષ્ઠિકી શાંતિ પ્રાપ્ત કરે છે


युक्त: कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् |
अयुक्त: कामकारेण फले सक्तो निबध्यते ||
भा.गी. 5.12

કર્મયોગી કર્મોના ફળને ત્યજીને નૈષ્ઠિકી શાંતિ
પ્રાપ્ત કરે છે. પરંતુ સકામ માણસ કામનાને
કારણે ફળમાં આસક્ત થઈને બંધાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 7 January 2025

કર્મયોગી કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે જ કર્મ કરે


कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि |
योगिन: कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ||
भा.गी. 5.11

કર્મયોગી આસક્તિ ત્યજીને મમત્વભાવ રાખ્યા
વિના કેવળ ઇન્દ્રિયો, શરીર મન અને બુદ્ધિ દ્વારા
અંતઃકરણની શુદ્ધિ માટે જ કર્મ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 6 January 2025

પાપથી લેપાતો નથી


ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति य: |
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ||
भा.गी. 5.10

જે ભક્તિયોગી બધાં કર્મોને પરમાત્મામાં અર્પીને
તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ
જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 4 January 2025

તત્ત્વને જાણનારો સાંખ્યયોગી પોતે કશું જ પણ નથી કરી રહ્યો


नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् | पश्यञ्शृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्स्वपञ्श्वसन् || 8||
प्रलपन्विसृजन्गृह्ण्न्नुन्मिषन्निमिषन्नपि | इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् || 9||
भा.गी. 5.8-9

તત્ત્વને જાણનારો સાંખ્યયોગી જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો,
ગ્રહણ કરતો, બોલતો, મળ-મૂત્રનો ત્યાગ કરતો, ઊંઘતો, શ્વાસ લેતો તથા આખો ઉઘાડતો
અને મીંચતો હોવા છતાં પણ સર્વ "ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી
રહી છે"-એમ સમજીને હું પોતે કશું જ પણ નથી કરી રહ્યો-એમ માને.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 3 January 2025

ઇન્દ્રિયો વશ, અંતઃકરણ વિશુદ્ધ, શરીર પોતાને વશ અને સઘળા પ્રાણીઓનો આત્મા જ જેનો આત્મા


योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय: |
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ||
भा.गी. 5.7

જેની ઇન્દ્રિયો પોતાને વશ છે, જેનું અંતઃકરણ
વિશુદ્ધ છે, જેનું શરીર પોતાને વશ છે અને સઘળા
પ્રાણીઓનો આત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી
કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 2 January 2025

કર્મયોગ વિના સાંખ્યયોગ સિદ્ધ થવો મુશ્કેલ છે


संन्यासस्तु महाबाहो दु:खमाप्तुमयोगत: |
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ||
भा.गी. 5.6

પરંતુ હે મહાબાહો ! કર્મયોગ વિના સાંખ્યયોગ
સિદ્ધ થવો મુશ્કેલ છે. મનનશીલ કર્મયોગી વિના
વિલંબે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 1 January 2025

સાંખ્યયોગ-કર્મયોગને ફળરૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે


यत्साङ्ख्यै: प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते |
एकं साङ्ख्यं च योगं च य: पश्यति स पश्यति ||
भा.गी. 5.5

સાંખ્યયોગીઓ વડે જે તત્ત્વ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ
વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ
સાંખ્યયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે તે જ
યથાર્થ જુએ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//