Thursday 8 August 2024

સંસ્કારી મનુષ્યના ત્રણ જન્મ


किं जन्मभिस्त्रिभिर्वेह शौक्रसावित्रयाज्ञिकैः ।
कर्मभिर्वा त्रयीप्रोक्तैः पुंसोऽपि विबुधायुषा ॥

સંસ્કારી મનુષ્યના ત્રણ જન્મ થાય છે. પવિત્ર માતાપિતાથી 
થયેલો જન્મ પ્રથમ છે. આ જન્મ 'શૌક' એટલે વીર્યથી થયેલો 
જન્મ કહેવાય છે. ગુરુની દીક્ષા મળે ત્યારે બીજો જન્મ થાય છે. 
આ 'સાવિત્ર' કહેવાય છે. ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનો અવસર 
મનુષ્યને મળે ત્યારે 'થાજ્ઞિક' નામે ત્રીજો જન્મ થાય છે. આવા જન્મની 
તક મળવા છતાં જો મનુષ્ય ભગવત્સેવાપરાયણ થતો નથી, તો તેને દેવોનું 
આયુષ્ય મળે તોયે બધું નિરર્થક છે. તેવી રીતે મનુષ્યનાં કર્મો લૌકિક કે આધ્યાત્મિક 
હોઈ શકે, પરંતુ જો તે ભગવાનને સંતોષવા થતાં ન હોય તો તે નકામાં છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment