Friday 9 August 2024

ભક્તિને જ સંપત્તિ માની સુખી થાય


न भजति कुमनीषिणां स इज्यां हरिरधनात्मधनप्रियो रसज्ञः । 
श्रुतधनकुलकर्मणां मदैर्ये विदधति पापमकिञ्चनेषु सत्सु ॥

જેમની પાસે કશી ધનસંપત્તિ નથી, પણ ભગવાનની ભક્તિને જ સંપત્તિ 
માની જેઓ પૂરેપૂરા સુખી થાય છે, એવા ભક્તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને 
બહુ વહાલા છે. ખરેખર, આવા ભક્તોની ભક્તિમય પ્રવૃત્તિઓનું ભગવાન 
રસાસ્વાદન કરે છે. જે મનુષ્યો ભૌતિક વિદ્યા, ધનસંપત્તિ, ઉચ્ચ કુળ તથા સકામ 
કર્મોના મદથી ફુલાઈ જાય છે, તેઓ આવી ભૌતિક વસ્તુઓ પોતાની હોવાનો ઘમંડ 
કરે છે અને ઘણીવાર ભક્તોની અવહેલના કરે છે. આવા મનુષ્યો ભગવાનની પૂજા કરે 
છે, તો પણ ભગવાન તેનો કદાપિ અંગીકાર કરતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment