Monday 15 July 2024

જીવમાત્રના પરમ ગુરુ


पदा शरत्पद्मपलाशरोचिषा नखद्युभिर्नोऽन्तरघं विधुन्वता । 
प्रदर्शय स्वीयमपास्तसाध्वसं पदं गुरो मार्गगुरुस्तमोजुषाम् ॥

હે મારા પ્રભુ, આપનાં બન્ને ચરણકમળ એવાં સુંદર છે કે તે શરદ ઋતુનાં કમળપુષ્પની 
ખીલતી પાંદડીઓ જેવાં દેખાય છે. ખરેખર, આપના ચરણના નખની ક્રાંતિ એવી તેજસ્વી 
છે કે તે બદ્ધ જીવના હૃદયમાંના અંધકારને તત્કાળ દૂર કરે છે. મારા વહાલા પ્રભુ, કૃપા કરીને 
મને આપનું તે સ્વરૂપ દર્શાવો કે જે ભક્તના હૃદયમાંના બધા અંધકારનું સદા નિવારણ કરે છે. 
હે વહાલા નાથ, આપ જીવમાત્રના પરમ ગુરુ છો; તેથી અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાયેલા તમામ 
બદ્ધ જીવોને આપ ગુરુ તરીકે જ્ઞાનનો પ્રકાશ આપી શકો છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment