Monday 15 July 2024

દૃષ્ટિ ભગવાન પર


                                       અર્જુને અસ્ત્ર-શસ્ત્રથી સુસજ્જ નારાયણી સેનાને છોડીને નિઃશસ્ત્ર 
ભગવાન શ્રીકૃષ્ણનો સ્વીકાર કર્યો હતો. અને દુર્યોધને ભગવાનને 
છોડીને તેમની નારાયણી સેનાનો સ્વીકાર કર્યો હતો. એનું તાત્પર્ય 
એ છે કે, અર્જુનની દૃષ્ટિ ભગવાન પર હતી અને દુર્યોધનની દૃષ્ટિ વૈભવ 
પર હતી. જેની દૃષ્ટિ ભગવાન પર હોય છે, તેનું હૃદય બળવાન હોય છે; 
કારણ કે ભગવાનનું બળ જ સાચું છે. પરંતુ જેની દૃષ્ટિ સંસારના વૈભવો 
પર હોય છે, તેનું હૃદય કમજોર હોય છે; કારણ કે સંસારનું બળ કાચું છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment