Monday 29 July 2024

બધાં સંકટોને પાર કરી જશો


कृच्छ्रो महानिह भवार्णवमप्लवेशां षड्डुर्गनक्रमसुखेन तितीर्षन्ति । 
तत्त्वं हरेर्भगवतो भजनीयमङ्गि कृत्वोडुपं व्यसनमुत्तर दुस्तरार्णम् ॥

અવિદ્યારૂપી ભવસાગર તરવો ઘણો અઘરો છે, કારણ કે તે ઘણા ભયાનક 
મગરમચ્છોથી ભરેલો છે. તે સાગરને પાર કરવા માટે અભક્તો કઠોર વ્રત-તપ 
કરે છે. તેમ છતાં, અમે તમને એવી ભલામણ કરીએ છીએ કે તમે કેવળ પૂર્ણ 
પુરુષોત્તમ ભગવાનના ચરણકમળનો આશ્રય લો, કે જે ભવસાગરને તરી જવા 
માટે નૌકા સમાન છે. સાગરને પાર કરવો મુશ્કેલ છે, તોયે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના 
ચરણકમળનો આશ્રય લેવાથી તમે બધાં સંકટોને પાર કરી જશો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment