Tuesday 25 June 2024

આત્મ-સાક્ષાત્કારના પદને પામે


बुद्ध्या विश्रुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च । शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥ 
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः । ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥ 
अहङ्कारं बलं दर्प कामं क्रोधं परिग्रहम् । विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥

પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને, ઇન્દ્રિયતૃપ્તિના 
વિષયોનો ત્યાગ કરીને, રાગ તથા દ્વેષથી મુક્ત થઈને, જે મનુષ્ય એકાંત સ્થાનમાં 
નિવાસ કરે છે, જે અલ્પાહારી છે, જે પોતાનાંશરીર, મન તથા વાણીને વશમાં રાખે છે, 
સદા સમાધિમાં રહે છે, સંપૂર્ણપણે વિરક્ત છે, મિથ્યા અંહકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, 
કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત 
અને શાંત છે, તે આત્મ-સાક્ષાત્કારના પદને પામે છે એમાં સંદેહ નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment