Friday 10 November 2023

‘મારું’ અને ‘તારું’


तावद्भयं द्रविणदेहसुहृन्निमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः | 
तावन्ममेत्यसदवग्रह आर्तिमूलं यावन्न तेऽङ्घ्रिमभयं प्रवृणीत लोकः ||

હે મારા નાથ, દુનિયાના લોકો ભૌતિક ચિંતાઓથી વ્યગ્ર બનેલા છે. 
તેઓ હંમેશાં ભયભીત રહે છે. તેઓ ધન, દેહ તથા મિત્રોનું રક્ષણ કરવાનો 
પ્રયત્ન સદા કરે છે. શોક, વ્યર્થ એષણા અને તેની આનુષંગિક બાબતની ઇચ્છાથી
તેઓ ભરેલા હોય છે, તથા લોભયુક્ત થઈને તેઓ ‘મારું’ અને ‘તારું’ના નાશવંત વિચારને
આધારે તેમની જવાબદારીઓ વેંઢારે છે. જ્યાં સુધી તેઓ આપના અભયદાતા ચરણકમળનો
આશ્રય લેતા નથી ત્યાં સુધી તેઓ આવી ચિંતાઓથી ઘેરાયેલા રહે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment