Thursday, 16 November 2023

સંસારચક્ર


दैवाहतार्थरचना ऋषयोऽपि देव |
युष्मत्प्रसङ्गविमुखा इह संसरन्ति ||

અભક્તો પોતાની ઇન્દ્રિયોને બહુ ઉપાધિયુક્ત તથા 
વિસ્તૃત કાર્યોમાં પરોવે છે અને રાત્રે તેઓ અનિદ્રાથી 
પીડાય છે. કારણ, અનેક પ્રકારના માનસિક તર્કવિતર્કથી 
તેમની બુદ્ધિ સતત તેમને નિદ્રાભંગ કરે છે. દૈવીશક્તિ તેમની 
અનેકવિધ યોજનાઓને નિષ્ફળ બનાવે છે. મહર્ષિઓ સુધ્ધાં જો 
આપની દિવ્ય કથાથી વિમુખ હોય તો તેઓ પણ સંસારચક્રમાં ફસાયેલા રહે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment