Wednesday, 26 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.45


અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ |
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.45

અરેરે! ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન
હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા
છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા
તૈયાર થયા છીએ!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 25 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.44


ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।
નરકેડનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.44

એટલું જ નહીં, હે જનાર્દન! જેમના કુળધર્મો સમૂળા
નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ
સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 24 August 2026

શ્રીમાદ્ ભગવદ્ ગીતા 1.43


દોષૈરેતૈઃ કુલધ્રાનાં વર્ણસંકરકારકૈ : |
ઉત્સાદ્યન્તે જાતિધર્મા: કુલધર્માશ્વ શાશ્વતા : ||
શ્રીમાદ્ ભગવદ્ ગીતા 1.43

આ વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના
સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ
થઈ જાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Saturday, 22 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.42


સડ્ડરો નરકાયૈવ કુલઘ્રાનાં કુલસ્ય ચ |
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયા: ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.42

વર્ણસંકર સંતતિ કુળના હણનારાઓને તથા
કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે; પિંડ
અને તર્પણક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ
અધોગતિને પામે છે.

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Friday, 21 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.41


અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકર: ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.41

હે કૃષ્ણ! પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ
અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય! જ્યારે
સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Thursday, 20 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.40


કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોડભિભવત્યુત ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.40

કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઈ
જાય છે અને ધર્મ નાશ પામતાં સમસ્ત કુળમાં
પાપ પણ ખૂબજ ફેલાઈ જાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Wednesday, 19 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.38-39


યદ્યપ્યંતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ।
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ।।
કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ |
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ધિર્જનાર્દન ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.38-39

જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી
ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા
પાપને જોતા નથી; છતાં પણ હે જનાર્દન! કુળ-નાશના કારણે
લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ
ન વિચારવું?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//