Friday, 21 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.41


અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકર: ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.41

હે કૃષ્ણ! પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ
અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય! જ્યારે
સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Thursday, 20 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.40


કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોડભિભવત્યુત ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.40

કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઈ
જાય છે અને ધર્મ નાશ પામતાં સમસ્ત કુળમાં
પાપ પણ ખૂબજ ફેલાઈ જાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Wednesday, 19 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.38-39


યદ્યપ્યંતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ।
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ।।
કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ |
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ધિર્જનાર્દન ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.38-39

જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી
ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા
પાપને જોતા નથી; છતાં પણ હે જનાર્દન! કુળ-નાશના કારણે
લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ
ન વિચારવું?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Tuesday, 18 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.37


તસ્માન્નાર્હા વયં હતું ધાર્તરાષ્ટ્રાન્ સ્વબાન્ધવાન્ |
સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.37

માટે હે માધવ! પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રપુત્રોને
હણવા માટે અમે યોગ્ય નથી; પોતાના જ સ્વજનોને
હણીને અમે કેમ સુખી થઈશું?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 17 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.36


નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિ: સ્યાજ્જનાર્દન ।
પાપમેવાશ્રયેદસ્માન્ હત્વૈતાનાતતાયિન : ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.36

હે જનાર્દન! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો
આનંદ મળશે? આ આતતાયીઓને હણીને તો અમને
પાપ જ લાગશે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 14 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.35


એતાન્ન હન્તુમિચ્છામિ વ્રતોડપિ મધુસૂદન ।
અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.35

હે મધુસૂદન! હું હણાઉં છતાં પણ અથવા ત્રણે લોકનું
રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી
ઇચ્છતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Thursday, 13 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.34


આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ ।
માતુલાઃ શ્વશુરા: પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિનસ્તથા ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.34

અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા,
સસરા, પૌત્રો, સાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//