Saturday, 5 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.7


કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસંમૂઢચેતાઃ ।
યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.7

આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા
ધર્મની બાબતમાં મોહિતચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિતરૂપે
કલ્યાણકારી સાધન હોય, તે મને કહો; કેમકે હું આપનો શિષ્ય છું, માટે
આપને શરણે આવેલા મને ઉપદેશ આપો.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

Thursday, 3 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.6


ન ચૈતદ્વિદ્મ: કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ ।
યાનેવ હત્વા ન જિજીવિષામ સ્તેડવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.6

વળી, અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું
એ બન્નેમાંથી કયું શ્રેષ્ઠ છે; અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે
જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા
નથી, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 2 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5


ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્ શ્રેયો ભોક્ત ભૈક્ષ્યમપીહ લોકે ।
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ ભુગ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5

માટે આ મહાનુભાવ ગુરુજનોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ
વડે જીવનનિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું; કેમકે ગુરુજનોને
હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને
જ ભોગવીશ ને!

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 1 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.4


અર્જુન ઉવાચ
કથં ભીષ્મમહં સંખ્ય દ્રોણં ચ મધુસૂદન ।
ઇષુભિઃ પ્રતિ યોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.4

અર્જુન બોલ્યા : હે મધુસૂદન! રણભૂમિમાં હું બાણોથી
કઈ રીતે ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ?
કેમ કે હે અરિસૂદન! તેઓ બન્નેય પૂજનીય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 31 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.2-3


શ્રીભગવાન્ ઉવાચ
કુતસ્ત્યા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ | અનાર્યજુષ્ટમસ્વગ્ર્યમકીર્તિકરમર્જુન ||
ક્લબ્ય મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યું ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.2-3

શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન! તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે
અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ
પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે.

આથી હે પાર્થ! નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી; હે શત્રુઓને
તપાવનાર! હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Saturday, 29 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

દ્વિતીય અધ્યાય

સંજય ઉવાચ : તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ |
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદન : ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

સંજય બોલ્યા : આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ
આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે
અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું :

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Friday, 28 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47


સંજય ઉવાચ

એવમુક્ત્વાર્જુન: સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47

સંજય બોલ્યા : રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન
મનનો અર્જુન આમ કહીને બાણસહિત ધનુષ
ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. 

ૐ તત્સદિતિ શ્રીમદ્ધગવદ્ગીતાસૂપનિષત્સુ
બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદેડર્જુન-
વિષાદયોગો નામ પ્રથમોડધ્યાયઃ ।।

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//