Saturday, 21 February 2026

આ લોકમાં બે પ્રકારના જ પ્રાણીઓની સૃષ્ટિ છે


द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च |
दैवो विस्तरश: प्रोक्त आसुरं पार्थ मे शृणु ||
भ.गी. 16.6

આ લોકમાં બે પ્રકારના જ પ્રાણીઓની સૃષ્ટિ છે-
દૈવી અને આસુરી દૈવીને તો મેં વિસ્તારથી કહી
દીધી હવે હે પાર્થ ! આસુરીને વિસ્તારપૂર્વક મારી
પાસેથી સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 20 February 2026

તું ચિંતા ન કર


दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता |
मा शुच: सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव ||
भ.गी. 16.5

દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બંધન
કરનારી મનાઈ છે. હે પાંડવ ! તું દૈવી સંપદાને પ્રાપ્ત
થયો છે તેથી શોક એટલે કે ચિંતા ન કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 19 February 2026

આસુરી સંપદાને પ્રાપ્ત માણસનાં લક્ષણો


दम्भो दर्पोऽभिमानश्च क्रोध: पारुष्यमेव च |
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् ||
भ.गी. 16.4

હે પૃથાનંદન ! દંભ કરવો, ઘમંડ કરવો અને અભિમાન
કરવું, ક્રોધ કરવો અને કઠોરતા રાખવી, અવિવેક હોવો
વગેરે પણ આસુરી સંપદાને પ્રાપ્ત માણસનાં લક્ષણો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 18 February 2026

દૈવી સંપદાને પ્રાપ્ત થયેલા મનુષ્યના લક્ષણ


तेज: क्षमा धृति: शौचमद्रोहोनातिमानिता |
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ||
भ.गी. 16.3

તેજ એટલે કે પ્રભાવ, ક્ષમા, ધૈર્ય, દેહશુદ્ધિ,
શત્રુભાવ ન હોવો અને માનની અપેક્ષા ન
રાખવી આ બધાં હે ભરતવંશી અર્જુન ! દૈવી
સંપદાને પ્રાપ્ત થયેલા મનુષ્યના લક્ષણ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 17 February 2026

ક્રોધ ન કરવો


अहिंसा सत्यमक्रोधस्त्याग: शान्तिरपैशुनम् |
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ||
भ.गी. 16.2


અહિંસા, સત્યભાષણ, ક્રોધ ન કરવો, સંસારની કામનાઓનો
ત્યાગ, અંતઃકરણમાં રાગ-દ્વેષને લીધે ખળભળાટ ન થવો, ચાડી
ન કરવી, પ્રાણીઓ પર દયાભાવ રાખવો, સાંસારિક વિષયોમાં લલચાવું 
નહીં, મૃદુ સ્વભાવ હોવો, અકર્તવ્ય કરવામાં લજ્જા, ચપળતાનો અભાવ.


//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 16 February 2026

શરીર-મન-વાણીની સરળતા


श्रीभगवानुवाच |
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थिति: |
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ||
भ.गी. 16.1

શ્રીભગવાન બોલ્યા: ભયનો સંપૂર્ણપણે અભાવ,
અંતઃકરણ પૂર્ણપણે નિર્મળ હોવું, તત્ત્વજ્ઞાનને અર્થે
યોગમાં દ્વઢ સ્થિતિ અને સાત્ત્વિક દાન, ઇન્દ્રિયોને
પોતાના વશમાં રાખવી, સ્વાધ્યાય, સ્વધર્મપાલન
અર્થે કષ્ટ સહેવું તથા શરીર-મન-વાણીની સરળતા...

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 14 February 2026

ઘણું જ ગોપનીય શાસ્ત્ર જાણીને (માણસ) જ્ઞાની અને કૃતકૃત્ય થઈ જાય છે


इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ |
एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ||
भ.गी. 15.20

હે નિષ્પાપ અર્જુન ! આમ આ ઘણું જ ગોપનીય
શાસ્ત્ર મેં કહ્યું, હે ભરતવંશી અર્જુન ! આને જાણીને
(માણસ) જ્ઞાની (જ્ઞાત-જ્ઞાતવ્ય) તથા પ્રાપ્ત પ્રાપ્તવ્ય
અને કૃતકૃત્ય થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//