Monday, 25 May 2026

ગુણો તેમજ ધૃતિનો ત્રણ પ્રકારનો ભેદ


बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु |
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय ||
भ.गी. 18.29

હે ધનંજય ! હવે તું ગુણો અનુસાર બુદ્ધિ તેમજ
ધૃતિનો પણ ત્રણ પ્રકારનો ભેદ અલગ-અલગ રૂપે
સાંભળ, જે મારા દ્વારા પૂર્ણરૂપે કહેવામાં આવી રહ્યા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 23 May 2026

તામસ કર્તા


अयुक्त: प्राकृत: स्तब्ध: शठो नैष्कृतिकोऽलस: |
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ||
भ.गी. 18.28

જે કર્તા અસાવધાન, અશિક્ષિત, ઘમંડી, જિદ્દી,
ઉપકાર કરનારનો અપકાર કરવાવાળો, શોક કરનાર,
આળસુ અને દીર્ઘસૂત્રી છે, એ તામસ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 22 May 2026

રાજસ કર્તા


रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचि: |
हर्षशोकान्वित: कर्ता राजस: परिकीर्तित: ||
भ.गी. 18.27

જે કર્તા રાગી, કર્મોનાં ફળની ઇચ્છાવાળો, લોભી,
હિંસાના સ્વભાવવાળો, અશુદ્ધ તેમજ હરખ-શોકથી
યુક્ત છે, એ રાજસ કહેવાયો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 21 May 2026

સાત્ત્વિક કર્તા


मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वित: |
सिद्ध्यसिद्ध्योर्निर्विकार: कर्ता सात्त्विक उच्यते ||
भ.गी. 18.26

જે કર્તા રાગ રહિત, કર્તૃત્વાભિમાનથી રહિત ધૈર્ય
અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિધ્ધિમાં
હરખ-શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્ત્વિક કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 20 May 2026

તામસ કર્મ


अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषम् |
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ||
भ.गी. 18.25

જે કર્મનો પરિણામ, હાનિ, હિંસા અને
સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના, મોહપૂર્વક
આરંભ કરવામાં આવે છે, એ કર્મ તામસ
કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 19 May 2026

રાજસ કર્મ


यत्तुकामेप्सुना कर्म साहङ्कारेण वा पुन: |
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ||
भ.गी. 18.24

પરંતુ જે કર્મ ભોગોની ઈચ્છાથી અથવા
અહંકારથી અને પરિશ્રમપૂર્વક કરવામાં
આવે છે, તે રાજસ કહેવામાં આવ્યું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 18 May 2026

સાત્ત્વિક કર્મ


नियतं सङ्गरहितमरागद्वेषत: कृतम् |
अफलप्रेप्सुना कर्म यतत्सात्त्विकमुच्यते ||
भ.गी. 18.23

જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય અને
કર્તાપણાના અભિમાનથી રહિત હોય તેમજ
ફળની લાલસા વિનાના માણસ વડે રાગ-દ્વેષ
વિના કરવામાં આવ્યું હોય - તે કર્મ સાત્ત્વિક
કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//