Wednesday, 17 June 2026

બ્રહ્મ પ્રાપ્તિને પાત્ર


बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च | शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ||
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानस: | ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रित: ||
अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् | विमुच्य निर्मम: शान्तो ब्रह्मभूयाय कल्पते ||
भ.गी. 18.51-52-53

જે વિશુદ્ધ (સાત્ત્વિકી) બુદ્ધિથી યુક્ત, વૈરાગ્યને આશ્રિત, એકાંતનું સેવન કરવાવાળો
અને નિયમિત ભોજન કરવાવાળો સાધક ધૈર્યપૂર્વક ઈન્દ્રિયોનું નિયમન કરીને, શરીર,
વાણી અને મનને વશ કરીને, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને અને રાગ-દ્વેષને છોડીને
નિરન્તર ધ્યાનયોગ પરાયણ થઈ જાય છે તે અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહથી
રહિત થઇને અને મમતા રહિત તથા શાંત થઇને બ્રહ્મ પ્રાપ્તિને પાત્ર બની જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 16 June 2026

જ્ઞાનયોગની પરાનિષ્ઠા


सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे |
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ||
भ.गी. 18.50

હે કુન્તીપુત્ર ! સિદ્ધિ (અંતઃકરણની શુદ્ધિ)ને પ્રાપ્ત
થયેલો સાધક બ્રહ્મને કે જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા
છે; તેને જે પ્રકારે પામે છે, એ પ્રકારને સંક્ષેપમાં
જ મારી પાસેથી સમજ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

 

Monday, 15 June 2026

સર્વશ્રેષ્ઠ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે


असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह: |
नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति ||
भ.गी. 18.49

જેની બુદ્ધિ સર્વત્ર આસક્તિરહિત છે, જેણે શરીરને
વશ કરી લીધું છે, જે સ્પૃહા વિનાનો છે તે મનુષ્ય
સાંખ્યયોગ દ્વારા સર્વશ્રેષ્ઠ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 13 June 2026

સહજ કર્મ નો ત્યાગ ન કરવો


सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् |
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृता: ||
भ.गी. 18.48

હે કુંતીનંદન ! દોષયુક્ત હોવા છતાં પણ સહજ
કર્મ નો ત્યાગ ન કરવો જોઈએ; કેમ કે સઘળાં
કર્મો ધુમાડાથી અગ્નિની પેઠે દોષથી યુક્ત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 12 June 2026

નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ


श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ||
भ.गी. 18.47

સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ
કરતાં ગુણ રહિત પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે.
કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી
કર્મ કરતો રહીને મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 11 June 2026

જેનાથી આ આખું જગત વ્યાપ્ત છે


यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् |
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: ||
भ.गी. 18.46

જે પરમેશ્વરથી સઘળાં પ્રાણીઓની ઉત્પત્તિ થાય
છે અને જેનાથી આ આખું જગત વ્યાપ્ત છે, એ
પરમેશ્વરની પોતાનાં સ્વાભાવિક કર્મો વડે પૂજા
કરીને માણસમાત્ર પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 10 June 2026

સ્વાભાવિક કર્મમાં પ્રેમપૂર્વક


स्वे स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर: |
स्वकर्मनिरत: सिद्धिं यथा विन्दति तच्छृणु ||
भ.गी. 18.45

પોત-પોતાના સ્વાભાવિક કર્મમાં પ્રેમપૂર્વક જોડાયેલો
માણસ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે.
પોતાના કર્મમાં જોડાયેલો માણસ જે રીતે કર્મ કરીને
પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//