Monday, 18 May 2026

સાત્ત્વિક કર્મ


नियतं सङ्गरहितमरागद्वेषत: कृतम् |
अफलप्रेप्सुना कर्म यतत्सात्त्विकमुच्यते ||
भ.गी. 18.23

જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય અને
કર્તાપણાના અભિમાનથી રહિત હોય તેમજ
ફળની લાલસા વિનાના માણસ વડે રાગ-દ્વેષ
વિના કરવામાં આવ્યું હોય - તે કર્મ સાત્ત્વિક
કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 16 May 2026

હેતુરહિત, વાસ્તવિક જ્ઞાનથી રહિત તેમજ તુચ્છ તામસ જ્ઞાન


यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् |
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ||
भ.गी. 18.22

પરંતુ જે જ્ઞાન અર્થાત્ જે જ્ઞાન દ્વારા મનુષ્ય
એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ
આસક્ત રહે છે તથા જે હેતુરહિત, વાસ્તવિક
જ્ઞાનથી રહિત તેમજ તુચ્છ છે, તે તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 13 May 2026

તે જ્ઞાનને તું રાજસ જાણ

 


पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् |
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ||
भ.गी. 18.21

પરંતુ જે જ્ઞાન એટલે કે જે જ્ઞાન દ્વારા મનુષ્ય
સંપૂર્ણ પ્રાણીઓમાં જુદા-જુદા રૂપે અનેક ભાવોને
જુદા-જુદા રૂપે જાણે છે, તે જ્ઞાનને તું રાજસ જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 12 May 2026

સાત્ત્વિક જ્ઞાન


सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते |
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ||
भ.गी. 18.20

જે જ્ઞાનથી સાધક ભિન્ન-ભિન્ન સઘળાં પ્રાણીઓમાં
અવિભાજિતરૂપે એક અવિનાશી ભાવ (સત્તા) ને
જુએ છે, તે જ્ઞાનને તું સાત્ત્વિક જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 11 May 2026

જ્ઞાન અને કર્મ તથા કર્તા


ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदत: |
प्रोच्यते गुणसङ् ख्याने यथावच्छृणु तान्यपि ||
भ.गी. 18.19

ગુણોનું વિવેચન કરવાવાળા શાસ્ત્રોમાં ગુણોના
ભેદથી જ્ઞાન અને કર્મ તથા કર્તા ત્રણ - ત્રણ
પ્રકારે જ કહેવાય છે, એમને પણ તું મારી પાસેથી
સારી પેઠે સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 9 May 2026

ત્રણ પ્રકારથી કર્મસંગ્રહ


ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना |
करणं कर्म कर्तेति त्रिविध: कर्मसंग्रह: ||
भ.गी. 18.18

જ્ઞાન, જ્ઞેય અને અને પારીજ્ઞાતા આ ત્રણ પ્રકારથી
કર્મમાં પ્રેરણા થાય છે તથા કરણ, કર્મ તેમજ કર્તા - આ ત્રણ 
પ્રકારથી કર્મસંગ્રહ થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 8 May 2026

નથી હણતો કે નથી બંધાતો


यस्य नाहङ् कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते |
हत्वाऽपि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ||
भ.गी. 18.17

જે માણસનો હું કર્તા છું એવો ભાવ નથી તેમજ
જેની બુદ્ધિ લેપાતી નથી, તે (યુદ્ધમાં) આ બધા
લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે
નથી બંધાતો.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//