Friday, 1 May 2026

ત્યાગી, બુદ્ધિમાન, સંશય વિનાનો અને પોતાના સ્વરૂપમાં સ્થિત


न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते |
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशय: ||
भ.गी. 18.10

જે અપ્રિય કર્મથી દ્વેષ નથી કરતો અને કુશળ
કર્મમાં આસક્ત નથી થતો, તે ત્યાગી, બુદ્ધિમાન,
સંશય વિનાનો અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 30 April 2026

'કેવળ કર્તવ્યમાત્ર કરવું છે'


कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन |
सङ्गं त्यक्त्वा फलं चैव स त्याग: सात्त्विको मत: ||
भ.गी. 18.9

હે અર્જુન ! 'કેવળ કર્તવ્યમાત્ર કરવું છે' એવું સમજીને
જે કર્મ આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરીને કરવામાં
આવે છે, તે જ સાત્ત્વિક ત્યાગ માનવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 29 April 2026

રાજસ ત્યાગ કરીને પણ ત્યાગના ફળને નથી પામતો


दु:खमित्येव यत्कर्म कायक्लेशभयात्यजेत् |
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ||
भ.गी. 18.8

જે કોઈ કર્મ છે તે દુઃખરૂપ જ છે - એમ માનીને
જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી તેનો
ત્યાગ કરી દે, તો તે રાજસ ત્યાગ કરીને પણ ત્યાગના
ફળને નથી પામતો.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 28 April 2026

નિયત કર્મનો તો ત્યાગ કરવો ઉચિત નથી


नियतस्य तु सन्न्यास: कर्मणो नोपपद्यते |
मोहात्तस्य परित्यागस्तामस: परिकीर्तित: ||
भ.गी. 18.7

નિયત કર્મનો તો ત્યાગ કરવો ઉચિત નથી.
તેનો મોહપૂર્વક ત્યાગ કરવો તામસ ત્યાગ
કહેવાયો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 27 April 2026

નિશ્ચિત કરેલો ઉત્તમ મત


एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च |
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ||
भ.गी. 18.6

હે પાર્થ ! આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને
તેમજ બીજાં પણ કર્મોને આસક્તિ અને ફળની
ઇચ્છાનો ત્યાગ કરીને કરવા જોઈએ - આ મારો
નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 24 April 2026

ત્રણ કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે


यज्ञदानतप:कर्म न त्याज्यं कार्यमेव तत् |
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ||
भ.गी. 18.5

યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોનો ત્યાગ નહિ
કરવો જોઈએ, પરંતુ તેમને તો અવશ્ય કરવાં
જ જોઈએ; કેમકે યજ્ઞ, દાન અને તપ - એ ત્રણેય
કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 23 April 2026

ત્રણ પ્રકારનો ત્યાગ


निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम |
त्यागो हि पुरुषव्याघ्र त्रिविध: सम्प्रकीर्तित: ||
भ.गी. 18.4

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! તું સંન્યાસ અને
ત્યાગ - એ બેમાંથી પહેલાં ત્યાગ વિષે મારો નિશ્ચય
સાંભળ, કેમકે હે પુરુષશ્રેષ્ઠ ! ત્યાગ સાત્ત્વિક રાજસ અને
તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//