Thursday, 16 April 2026

'ૐ' ઉચ્ચાર કરીને જ શરુ થાય


तस्माद् ॐ इत्युदाहृत्य यज्ञदानतप:क्रिया: |
प्रवर्तन्ते विधानोक्ता: सततं ब्रह्मवादिनाम् ||
भ.गी. 17.24

માટે વૈદિક સિદ્ધાંતને માનવાવાળા શાસ્ત્રવિધિથી
નિયત યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા 'ૐ'
એ (પરમાત્માના નામનું) ઉચ્ચાર કરીને જ શરુ થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 15 April 2026

પરમાત્માથી સૃષ્ટિના આરંભે વેદો તથા બ્રાહ્મણો અને યજ્ઞની રચના


ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविध: स्मृत: |
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता: पुरा ||
भ.गी. 17.23

ૐ, તત્, સત્ - એમ આ ત્રણ પ્રકારના નામોથી
જે પરમાત્માનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તે પરમાત્માથી
સૃષ્ટિના આરંભે વેદો તથા બ્રાહ્મણો અને યજ્ઞની રચના થઈ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 14 April 2026

તામસ દાન


अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते |
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ||
भ.गी. 17.22

જે દાન સત્કાર વિના તથા તિરસ્કારપૂર્વક
અયોગ્ય દેશ-કાળમાં કુપાત્રને આપવામાં
આવે છે, તે દાન તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 13 April 2026

ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યા પછી આપવામાં આવે તે દાન રાજસ


यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुन: |
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ||
भ.गी. 17.21

પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી
અથવા ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યા પછી આપવામાં
આવે છે, તે દાન રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 11 April 2026

નિષ્કામ ભાવે આપવામાં આવે તે દાન સાત્ત્વિક


दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे |
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ||
भ.गी. 17.20

દાન આપવું કર્તવ્ય છે-એવા ભાવથી જે દાન દેશ
અને કાળ અને પાત્ર પ્રાપ્ત થતાં, પોતાના પર જેણે
ઉપકાર નથી કર્યો, અર્થાત્ નિષ્કામ ભાવે આપવામાં
આવે છે, તે દાન સાત્ત્વિક કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 10 April 2026

તામસ તપ


मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तप: |
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ||
भ.गी. 17.19

જે તપ મુર્ખાતાપૂર્વક હઠથી, પોતાને પીડા
આપીને અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે
આચરવામાં આવે છે, તે તપ તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 9 April 2026

સત્કાર, માન અને પૂજા ખાતર કરવામાં આવે તે તપ રાજસ


सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ||
भ.गी. 17.18

જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા
પાખંડથી (દેખાડવાના ભાવથી) પણ કરવામાં
આવે છે, તે આ લોકમાં અનિશ્ચિત અને નાશવાન
ફળ આપનારું તપ રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//