Friday, 25 April 2025

જરા અને મરણમાંથી છૂટવા માટે


जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये |
ते ब्रह्म तद्विदु: कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ||
भा.गी. 7.29

જરા અને મરણમાંથી છૂટવા માટે જેઓ મારે શરણે
થઇને પ્રયત્ન કરે છે, એ માણસો તે બ્રહ્મને, સમગ્ર
અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 24 April 2025

ઉત્તમ કર્મોનું આચરણ કરનારા


येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् |
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रता: ||
भा.गी. 7.28

પરંતુ જે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા મનુષ્યોના
પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે,તે દ્વંદ્વ-મોહથી મુક્ત થયેલા
મનુષ્યો દ્રઢનિશ્ચયી થઈને મને સર્વ રીતે ભજે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 23 April 2025

રાગ અને દ્વેષથી થવાવાળા દ્વંદ્વ - મોહને લીધે મોહિત


इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत |
सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप ||
भा.गी. 7.27

હે ભરતવંશમાં ઉત્પન્ન શત્રુતાપન અર્જુન !
ઈચ્છા(રાગ) અને દ્વેષથી થવાવાળા દ્વંદ્વ -
મોહને લીધે મોહિત સઘળાં પ્રાણીઓ સંસારમાં
અનાદિકાળથી મૂઢતાને અર્થાત્ જન્મ-મરણને
પ્રાપ્ત થઈ રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 22 April 2025

મને ભક્તિ વિનાનો કોઈ પણ માણસ નથી જાણી શકતો


वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन |
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ||
भा.गी. 7.26

હે અર્જુન ! જે પ્રાણી પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનમાં
હયાત છે અને ભવિષ્યમાં થનાર છે આ બધા પ્રાણીઓને
તો હું જાણું છું, પરંતુ મને ભક્તિ વિનાનો કોઈ પણ માણસ
નથી જાણી શકતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 21 April 2025

અજન્મા અને અવિનાશી


नाहं प्रकाश: सर्वस्य योगमायासमावृत: |
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ||
भा.गी. 7.25

આ જે અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અને
અવિનાશીને સારી પેઠે જાણતો (માનતો) નથી,
તે સૌની સામે પોતાની યોગમાયા વડે સારી રીતે
ઢંકાયેલો હું પ્રગટ નથી થતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 19 April 2025

મારા પરમ, અવિનાશી અને સર્વશ્રેષ્ઠ ભાવ


अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धय: |
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ||
भा.गी. 7.24

અજ્ઞાની મનુષ્યો મારા પરમ, અવિનાશી અને
સર્વશ્રેષ્ઠ ભાવને નહિ જાણતા હોઈ અવ્યક્ત
અર્થાત્ મન-ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદઘન
પરમાત્માને મનુષ્યની જેમ શરીર ધારણ કરવાવાળો મને છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 18 April 2025

મારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે


अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् |
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ||
भा.गी. 7.23

પરંતુ તે અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને તે દેવતાઓની
આરાધનાનું ફળ નાશવાન અંતવાળું જ મળે છે, દેવતાઓને
પૂજનારા દેવતાઓને પામે છે; જયારે મારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//